The Kathi Crafts

The Kathi Crafts Welcome to "The Kathi Crafts" store. It is a group of art lover and enthusiast who belong to Kathi Rajput Community of Kathiawar region, India

હુક્કો:સંકલનઃ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાનહિન્દુસ્તાન ના ઇતિહાસ મા વ્યસન મા મહત્વ ની બે વસ્તુ તંબાકુ અને અફિણ અલગ અલગ સમયે વ...
28/03/2026

હુક્કો:

સંકલનઃ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન

હિન્દુસ્તાન ના ઇતિહાસ મા વ્યસન મા મહત્વ ની બે વસ્તુ તંબાકુ અને અફિણ અલગ અલગ સમયે વિદેશ થી આવ્યા.
એમ કહેવાય છે કે ,

સોળમી સદીના ફતેહપુર સીકરીના મુઘલ કચેરી મા પોર્ટુગીઝ વેપારીઓ બ્રાજીલ ની તમાકુ નામની એક નવી વસ્તુ લઈને ભારતમાં આવ્યા હતા.
વિજાપુરના રાજદૂત અસદ બેગે અકબરને આ તમાકુનો પરિચય કરાવ્યો અને અકબરને તેનો સ્વાદ પસંદ પણ આવ્યો.
પરંતુ અકબરના ઈરાની ચિકિત્સક, હકીમ અબુલ ફતહ ગિલાની ચિંતિત હતા કે તમાકુનો સીધો ધુમાડો ફેફસાં માટે હાનિકારક સાબિત થઈ શકે છે.ધુમાડાને શ્વાસમાં લેતા પહેલા પાણીમાંથી પસાર કરવો, જેથી તે 'શુદ્ધ' થઈ શકે બસ, આ જ એ ક્ષણ હતી જ્યારે ભારતના ઐતિહાસિક સામાજિક જીવનમાં *'હુક્કા' * ની ઓળખ થઇ.

કેમ કે ઇરાનીઓ ના ઇતિહાસ મા હુક્કા નો પ્રથમ ઉલ્લેખ મળે છે જેથી કહેવાય કે આ કળા ઇરાન મા પ્રથમ થી જ વિદ્યમાન હતી અને ઇરાની હકીમ અને વેપારીઓએ તેનો પરિચય અકબર અને ભારત ને કરાવ્યો હોઇ,

વળી તંબાકુ ઇરાન ની પહેલા ભારત પહોંચેલી એટલે ઇરાનીઓ અન્ય સ્થાનીક છોડ નો ઉપયોગ ધુમ્રપાન અર્થે કરતા હશે. ઇરાન ના શાહોએ આગળ જતા તમાકુ/ધુમ્રપાન પર ભારે પ્રતિબંધ મુક્યા પણ પાછા ખેંચી લેવા પડ્યા હતા, ૧૮૯૦ મા શાહ નાસીર અલ-દીન એ બ્રિટીશરો ને તંબાકુ ના વેપાર અધીકાર આપી દિધા જેનાથી ઇરાનીઓ તંબાકુ ના વેપાર કરી શકતા નહિ જેથી પ્રજાકિય વિરોધ સાથે તંબાકુ નો બહિષ્કાર થયો હતો શીયા મોલવી આયાતુલા મિર્જા શિરાજીએ એક ફતવો જાહેર કરી અદ્રશ્ય ઇમામ ના વિરોધ નુ નામ આપી તંબાકુ નો બહિષ્કાર કર્યો હતો.આખરે બ્રિટીશ કંપની સાથે કરાર રદ થયેલો

હુક્કો માત્ર ધૂમ્રપાનનું સાધન ન રહ્યો, પરંતુ તે પ્રતિષ્ઠા, શિષ્ટાચાર અને રાજદ્વારી કૂટનીતિનું પ્રતીક બની ગયો,

હુક્કા પાણી બંધઃ હોકાએ સમાજ જીવન મા પણ એવો પ્રવેશ કરી લીધો હતો કે હતો કે સમાજ ના નીયમો થી વિરુધ્ધ વર્તનાર વ્યક્તિ ને સમુહ મા હોકો ના આપી ત્યજી દેવાતો.

શાહજહાંના સમય સુધીમાં તો હુક્કાની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે સોના, ચાંદી અને મીનાકારી વાળા હુક્કાઓ કચેરીઓની શાન વધારવા લાગ્યા.

રાજસ્થાન, પંજાબ, બંગાળ, ઉ.પ્રદેશ, હરિયાણા સહિત ગુજરાત મા પણ હુક્કાએ દબદબાભેર પ્રવેશ કરી લીધો હતો.

અફિણ ખરલ મા વાતરી ને કસુંબો તૈયાર કરવો, ઉભા ગોઠણે કસકસીને પછેડી ની પલોઠી ભીડી ડાયરામલ મુરબ્બીઓ હોકા ગગડાવતા

આવ્ય હોકા દલરંજણા, સેણું સીંધા સેણ,
તુજ વિણ ઘડી ન ચાલતું, મને ઝાંખા લાગે નેણ.’

’આ દુનિયામાં દોઉ વડા, એક હોકોને હાથી,
હાથી તો સોજરો મરળી, હોકો સેલરો સાથી.’

’હોકા વાળા ચઢીયાતા, બીજા હાલે પાળા,
સારું માણસ સાદ કરે, એ આવજે હોકાવાળા.

હોકા નાળીયેર ની કાચલી જેવા કાળા ઝેબ જેવા તેલ ચોપડી રીઢા રખાતા.રૂપાના વાળાથી મેરે-આગળ મોઢું ગૂંથણીમાં બંધાતું અને ગૂંથણીની હેઠે ફરતી સોનાની ઝીણી ઝીણી માછલિયું મૂકી એના કરતા હેઠેના ભાગે રૂપાના કંડારેલ મોર-પોપટ અને રૂપાના વાળની ગૂંથણિયું આવતી. સૌથી હેઠેના હોકાના અણિયાળા ભાગે સુંદર રૂપાની કારીગીરીવાળી પીંછી ચડતી છેક છેલ્લે નીચે ચાર પાંચ કે છ ધારવાળું આંગળીના ટેરવા જેટલું લાંખું બોરડુ
બેસાડતા. આ હોકા ડાયરામાં છત્રીના સળીઆની અને ઉપર સૂતર તથા હીરથી ગૂંથેલ ઘોડી ઉપર રાખતા. ઘોડી ફરતી આવે અને ડાયરો હોકાની ઘૂંટ લેતો આવે.હોકાની બજરના પડાને ખાંડી, ગાળી અને ગોળમાં ચોળીને બજર મેળવતા.

વળી મેઘાણી જુના વાર્તાકારો ની કથનશેલી નુ વર્ણન કરે છે એમ...

' મનસાગરે અડખેપડખેથી આવળીઆં બાવળીઆં લપોટીઆં ઝપોટીઆં વીણી લાવીને ચકમક ઝેગવ્યો. ઈંઘણાંનો દેવતા પડ્યો અને પછી—

' વાલીઆ ગાબુના વાડાની બજર, આછોડીઆ વાડ નો ગળ, મચ્છુની કાંકરી, અને ઉંડ નું પાણી કર્યાં ભેળાં. ચલમ ભરીને એવો દેવતા માંડ્યો કે ચલમ ઊઘી વળે તોય તિખારો ન ઝરે. હોકાની એક બે ને ત્રણ ફુંકુ લાધી ત્યાં તો રાજાની કાયામાં બત્રીસે કોઠે દીવા થઈ ગયા.

૧૮મી સદીમાં જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓ ભારતમાં સ્થાયી થયા, ત્યારે તેઓ પણ હુક્કાના જાદુથી બચી શક્યા નહીં. ૧૭૭૭ માં કલકત્તા આવેલા યુવા અંગ્રેજ વકીલ વિલિયમ હિકીએ પોતાના સંસ્મરણોમાં નોંધ્યું છે કે, સામાજિક વર્તુળમાં હુક્કા વિના ચલાવવું અશક્ય હતું. લોકો એવું માનતા કે રાત્રિભોજન ન મળે તો ચાલે, પણ હુક્કો તો જોઈએ.
આ બ્રિટિશ અધિકારીઓ પાસે પોતાનો એક 'હુક્કાબરદાર' નોકર રહેતો, આ નોકરોનુ કામ માત્ર માલિક માટે હુક્કો તૈયાર કરવાનું અને માલિક ઘોડા પર કે પાલખીમાં યાત્રા કરે ત્યારે હુક્કાની સામગ્રી લઈને સાથે ચાલવાનું હતું.

ચિલમમાં તમાકુ ભરવામાં આવે છે અને તેની ઉપર સળગતો કોલસો મૂકવામાં આવે છે. માટીની બનેલી ચિલમ આ ગરમીને ધીમે ધીમે જાળવી રાખે છે, જેથી તમાકુ એકસરખી રીતે સળગતી રહે. ચિલમ નીચે એક લાકડા કે ધાતુનો સ્તંભ હોય છે, જે ધુમાડાને નીચેના જળાશય તરફ દોરી જાય છે.
હુકા નુ જળાશય જે પહેલા ના સમયમાં નારિયેળની કાચલી માંથી બનતું, અને પાછળથી કાચ તથા બીદરી કળાના ઉત્કૃષ્ટ ધાતુ-પાત્રો સ્વરૂપ ધારણ કર્યું તે પાણીથી ભરેલું હોય છે. ઉપરથી આવતો ધુમાડો આ પાણીમાંથી પસાર થાય છે, ઠંડો પડે છે, અને સ્વચ્છ બને છે. આ જ ક્ષણે એ વિશિષ્ટ "ગુડ-ગુડ" અવાજ ઉત્પન્ન થાય છે એ અવાજ જેણે અંગ્રેજોને "હબલ-બબલ" નામ આપવા પ્રેર્યા. ત્યારબાદ આ ઠંડો ધુમાડો નળી દ્વારા ઉપર ચઢે છે અને મુખપત્ર સુધી પહોંચે છે, જ્યાંથી ઉપયોગ કરનાર શ્વાસ ખેંચે છે.ધુમાડાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમાકુને વારંવાર મધ અને મસાલાઓ સાથે સ્વાદિષ્ટ અથવા મીઠી બનાવવામાં આવતી.

આ સામગ્રી ઐતિહાસીક અને સાંસ્કૃતિક અધ્યન હેતુ છે, ધુમ્રપાન કે કોઇપણ વ્યસન ને પ્રોત્સાહન ન હોવુ જોઇએ.

૧૯મી સદીના અંત સુધીમાં બ્રિટિશરોમાં સિગાર અને સસ્તી સિગારેટના આગમનથી હુક્કાનો જાદુ ઓછો થવા લાગ્યો. આધુનિક યુગમાં તબીબી સંશોધનો અને WHO ના અહેવાલોએ સ્પષ્ટ કર્યું છે કે હુક્કાનું સેવન સ્વાસ્થ્ય માટે સિગારેટ જેટલું જ, બલ્કે તેનાથી પણ વધુ હાનિકારક છે, કારણ કે હુક્કાના એક સત્રમાં શરીરમાં અનેકગણો વધુ ધુમાડો અને ઝેરી તત્વો પ્રવેશે છે.

𝐇αρρ𝗒 𝐃𝗂ωαᥣ𝗂 🪔 🌸 ˚⊱🪷⊰˚दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः।दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते।।
12/11/2023

𝐇αρρ𝗒 𝐃𝗂ωαᥣ𝗂 🪔 🌸 ˚⊱🪷⊰˚

दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते।।

Some old chakla objects..They are testament of the rich cultural heritage of the Kathi comunity.    ~credit: Shaileshbha...
11/09/2023

Some old chakla objects..
They are testament of the rich cultural heritage of the Kathi comunity.
~credit: Shaileshbhai Dhadhal

કાઠી પોશાક/પરિધાન/પહેરવેશ{બીલખા સ્ટેટ}
23/07/2023

કાઠી પોશાક/પરિધાન/પહેરવેશ
{બીલખા સ્ટેટ}

 #વિંઝણો #મોતીભરથ #ભરતગુંથણ  #મોતી
26/03/2023

#વિંઝણો
#મોતીભરથ
#ભરતગુંથણ
#મોતી

 #મોતીભરથ #ચાકળા #કાઠીકલા #મોતીકલા
26/03/2023

#મોતીભરથ
#ચાકળા
#કાઠીકલા
#મોતીકલા

The_Kathi_Crafts #ચાકળો
15/03/2023

The_Kathi_Crafts
#ચાકળો

લોકજીવનમાં જૂના કાળે મનોરંજનનું માધ્યમ બનેલી સોગઠાબાજી કે ચોપાટની રમત આજે પ્રચાર માધ્યમોની ભરમાર વચ્ચે ભલે ભૂલાઈ ગઈ હોય ...
04/03/2023

લોકજીવનમાં જૂના કાળે મનોરંજનનું માધ્યમ બનેલી સોગઠાબાજી કે ચોપાટની રમત આજે પ્રચાર માધ્યમોની ભરમાર વચ્ચે ભલે ભૂલાઈ ગઈ હોય પણ લોકગીતોમાં એ ચિરંજીવ બની છેઃ

રામ સીતા બે સોગઠે રમે
રમે મઢની બહાર
પાસા નાખે પદ્મણિ
કુંથ કુંચવો સિવડાવ્ય


ચોપાટ શબ્દ સંસ્કૃત ‘ચતુષ્પટ’ પરથી ઊતરી આવ્યો છે. એનો અર્થ થાય છે સોગઠાં વડે ખેલાતી એક દેશી રમત. જૂનાકાળે રાજરજવાડાઓ અને કાઠીદરબારોની અંતઃપુરની રાજરમત તરીકે ચોપાટ અગ્રસ્થાન ભોગવતી ભોગવતી એ લોકજીવન સુધી પ્રસાર અને પ્રચાર પામી હતી. શ્રી સારાભાઈ સંઘવી નોંધે છે કે ‘ચોપાટ બે પ્રકારે રમાતી. પાસાથી અને કોડીથી. રાજઘરાનાઓમાં ચોપાટ પાસા વડે રમાતી. જ્યારે જનસાધારણ આ રમત કોડી-દાણિયા દ્વારા રમતા.’ ૧૨મી સદીમાં રચાયેલા ‘માનસોલ્લાસ’ ગ્રંથમાં સોગઠાબાજી પર ઠીક ઠીક પ્રકાશ પાડવામાં આવ્યો છે એ કાલે ચોપાટના પટ પર ઘરો બનેલાં હતાં. તેમાં આ રમતની ચાલોનું વર્ણન પણ આપ્યું છે. મહાભારતના સમયમાં કૌરવો-પાંડવો ચપાટ દ્વારા જુગાર-ધૂત રમતાં. તેમાં પાંડવો હારી જતાં ૧૨ વરસ વનમાં ગયા હતા.

કાઠિયાવાડના ગામડાંઓમાં જૂનાકાળે જન્માષ્ટમીના અવસરે મહિનો મહિનો ચોપાટ રમાતી. કોઈ મહેમાન આવે ત્યારે રાતના ચોપાટ મંડાતી. કન્યાઓ વ્રત કરતી વેળાએ કે જાગરણ વખતે ચોપાટે રમતી. ચોમાસાની ઋતુમાં વાવણી પુરી થઈ ગઈ હોયને ખેડૂતો નવરા હોય ત્યારે મનોરંજન મેળવવા માટે ચોપાટે રમે છે. રમત માટેની ચોપાટને ચાર પાટ હોય છે. દરેક પાટમાં ૨૪ ખાનાં અને ત્રણ ફૂલ રહે છે. રમવા માટે લીલા, પીળા, રાતા અને કાળા સોગઠાં હોય છે. લીલા રંગના સોગઠાને પોપટ, રાતા રંગને ગાયો, કાળા રંગને ભેંસો અને પીળા રંગને ગઘેડાં તરીકે ઓળખવામાં આવે છે. આ સોગઠાં લાકડાના, રંગીન અને શંકુ આકારના હોય છે જે દુકાનો અને મેળામાં વેચાતા હોય છે.

સોગઠાબાજી કેવી રીતે રમાય એ આજે ભાગ્યે જ કોઈ જાણતું હશે. ડો. સતુભા ઝાલા આ રમત ઉપર પ્રકાશ પાડતા લખે છે કે દાવ નાખવા માટે કોડા દાણિયા કોઈ ૬-૭-૧૦-૧૨-૧૫ કે ૨૦ રાખે છે. દાણિયા પિત્તળના કપમાં રાખી ખખડાવીને નાખવામાં આવે છે. મોટેભાગે રમનારા ૬ દાણિયાથી રમે છે. આ રમત રમવા માટે ચાર ભેરુ હોય છે. ઘણી વખત બે બે ભેરુ થાય એટલે આઠ ભેરુ હોય છે. રમત શરૃ થાય અને દાણિયા-કોડા નાખે ત્યારે ૬ ચત્તા પડે તો ૧૨ ગણાય છે. ૬ બઠ્ઠા પડે તો ૬ ગણાય છે. ૫ ચત્તા પડે તો ૨૫ ગણાય છે. તેનું પગડું ૧ દાણો ગણાય છે. ઘર પાસે પડેલ હોય સૂતી હોય કાંકરી તે બુંધમાં પડી છે એમ કહેવાય. પગડું આવે તો ઘરમાં જાય છે.

જો એક ચત્તુ પડે તો ૧૦ દાણા ગણાય છે. એક પગડું ગણાય છે. ૨૫ અને ૧૦ આવે તો બીજી વખત દાવ મળે છે. ૨૫-૧૦ એકધારા ત્રણ વખત આવે તો દાણા નકામા જાય છે. ઘરમાં જતી વખતે કુંકરી આડી સૂવડાવવામાં આવે છે. ઘર પાસે આડી સૂતેલ કુંકરી બુંધમાં પડી કહેવામાં આવે છે. પગડું દાણા આવતા ઘરમાં જાય છે. બધા સોગઠા ઘરમાં ઊતરી જાય તે મોક્ષ પામ્યા કહેવાય છે.

ચોપાટની રમત ૧૦ અને ૨૫ના પગડાથી ચાલુ થાય છે. બધા સોગઠાં ઘરમાં મૂકવામાં આવે છે. જ્યાં સુધી પગડું ન આવે ત્યાં સુધી રમત ચાલુ કરી શકાતી નથી. દાણા હાલતા નથી. તેને તોડ થયો કહેવાય છે. ૧૦ અને ૨૫ દાણા આવે તો તોડ થાય છે અર્થાત્ રમત ચાલુ થાય છે. દાણા જેટલા આવે એટલા ખાનાં ગણી સોગઠા-કુંકરી આગળ ચાલતા થાય છે. ઘરથી સોગઠાં જમણીબાજુ ચાલે છે. એક એક ખાનું દાણાવાર ગણવામાં આવે છે. જો ગાંડંુ કરે તો સોગઠી ઊંધી ડાબી બાજુથી જમણી બાજુ ચાલે છે. તે ગાંડંુ સોગઠું બધાને મારે છે. ફૂલ બાજુથી જમણી બાજુ ચાલે છે. તે ગાંડું કરી શકે છે. તે ઘરના હંધાણમાં સૂતેલ સોગઠાને મારે છે.

જે સોગઠું ઘર પાસે પડેલ હોય તે બુંધમાં પડેલ એક પગડું આવે તો ઘરમાં જાય છે. પછી જે બધાં સોગઠાં ઘરમાં જતાં રહ્યાં હોય તે બુંધમાં પડેલ ગાંડું કરીને મારીને એક પગલું આવે તો ગાંડું કરી શકે છે. તે કુંકરી ઊંધી જમણીથી ડાબી બાજુ ચાલે છે. તે ફૂલ ઉપર રહેલ કુંકરી-સોગઠને મારે છે. બધા સોગઠાં મારતી જાય છે તેને ગાંડિયું ગજ કહેવાય છે. બીજા સાદા ગજ કહેવાય છે.

જે સોગઠું ઘર પાસે પડેલ હોય તે બુંધમાં પડેલ એક પગડું આવે તો ઘરમાં જાય છે. પછી જે બધાં સોગઠાં ઘરમાં જતાં રહ્યાં હોય તે બુંધમાં પડેલ ગાંડું કરીને મારીને એક પગલું આવે તો ગાંડું કરી શકે છે. તે કુંકરી ઊંધી જમણીથી ડાબી બાજુ ચાલે છે. તે ફૂલ ઉપર રહેલ કુંકરી-સોગઠને મારે છે. બધા સોગઠાં મારતી જાય છે તેને ગાંડિયું ગજ કહેવાય છે. બીજા સાદા ગજ કહેવાય છે.
ચોપાટ મનોરંજન કે સમય પસાર કરવાનું સાધન કે પતિ-પત્ની વચ્ચેના પ્રેમનું પ્રતીક જ નથી પણ આધ્યાત્મિક રમત પણ છે. ચોપાટના ચાર બાજુ પટના ૨૪ ટ ૪ = ૯૬ ખાનાં થાય. દરેક પાટમાં ૩ ફૂલ ગણતાં ૪ પાટના ફુલ બાર ફૂલ થાય. ૯૬માંથી ૧૨ ફૂલ બાદ કરતાં ૮૪ ખાનાં થાય. એ ૮૪ યોની જન્મ છે. ચાર પાટ વચ્ચેનું ઘર મોક્ષધામ છે. ફૂલ ઉપર બેઠેલી કાંકરી કોઈ મારી શકતું નથી. એ સલામત સ્થળ ભગવાનનું ઘર છે.

ચોપાટને ચાર રંગના ૧૬ સોગઠાં હોય છે. તેમાં લીલાં રંગના સોગઠાં એટલે સમાજનો સાધુ, સંત, ભક્તજનનો વર્ગ. પીળા સોગઠાં એ કંજુસાઈથી ભરેલા લાલચુ, લોભી, ખટપટીઆઓ અને દગાખોર માણસોનો વર્ગ. કાળાં સોગઠા કામી, આસહ્ત અને સમાજમાં કાળા કામો કરનાર માનવીનો વર્ગ અને રાતો રંગ એ ક્રોધી, ઉગ્ર સ્વભાવવાળા માનવીનો વર્ગ. સમાજમાં માનવી નીતિ અને પ્રમાણિક્તાથી ચાલે પૂણ્યકાર્યો કરે તો તે ઈશ્વરના દરબારમાં જાય છે ને મોક્ષ પામે છે. તેને ૮૪ લાખ જન્મના ચક્કરમાંથી કર્મો અનુસાર મોક્ષ મળે છે.

આમ ચોપાટની રમત આધ્યાત્મિક હોવાને કારણે એ ઈશ્વર અને ધર્મની સાથે જોડાઈ હશે. ભારતીય શિલ્પો, ચિત્રો, પદચિત્રો અને લોકગીતોમાં શિવપાર્વતીને, રાધાકૃષ્ણને અને સીતારામને સોગઠે રમતાં દર્શાવ્યાં છે. વૈષ્ણવ હવેલીઓમાં જન્માષ્ટમીના મનોરથ પ્રસંગે શ્રીનાથજીને સ્નાન કરાવી, શણગાર સજાવી તેમની સમક્ષ ભાગવત્, ગાયો, મોર, પોપટ વગેરે રમકડાંની સાથે કલાપૂર્ણ ચોપાટ પણ મૂકવામાં આવે છે. ચોપાટનો સંબંધ મંદિરો અને કલાકારીગરી સાથે પણ જોડાયેલો છે. આજે લોકજીવનમાંથી ચોપાટ ગઈ પણ વાતું એની રહી.
સાભારઃ જોરાવરસિંહ જાદવ

The_Kathi_Crafts

ઘોડાના કાન અને ગરદન ઉપર થઇ આગલા પગ સુધી ત્રીકોણાકાર લટકે તેને જુલ અથવા  #ઘુઘી કહે છે. ઘુઘી લાલ, નીલા કે પીળા કાપડ ઉપર, ન...
01/01/2023

ઘોડાના કાન અને ગરદન ઉપર થઇ આગલા પગ સુધી ત્રીકોણાકાર લટકે તેને જુલ અથવા #ઘુઘી કહે છે. ઘુઘી લાલ, નીલા કે પીળા કાપડ ઉપર, નીચે સુતરાઉ કાપડનું પડ નાખીને ભરાય છે. જુલનું બંધારણું પીળા સુતર અને પુરણું હીરથી પુરાય છે. નાના મોટા આભલા જુલ નુ આકર્ષણ હોય છે.લગ્ન કે અન્ય પ્રસંગો મા અન્ય સાજ સરજાંમ સાથે ઘુઘી પેરાવી અશ્વ ને શણગારવા માં આવે છે.
The_Kathi_Crafts
કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન

પછીત પાટીઃcourtesy: અબ્દુલ વઝીર
01/01/2023

પછીત પાટીઃ
courtesy: અબ્દુલ વઝીર

ડામચીયો :-===================================        ' ડામચીયો ' કેવો શબ્દ છે નહીં? આ શબ્દ સાંભળ્યો છે ક્યારેય? ડામચીયો ...
07/09/2022

ડામચીયો :-
===================================
' ડામચીયો ' કેવો શબ્દ છે નહીં? આ શબ્દ સાંભળ્યો છે ક્યારેય? ડામચીયો જોયો છે? કેવો હોય? શેમાંથી બને? કદ, માપ, આકાર વિશે કોઈ ખ્યાલ છે? આ ડામચીયો શું કામનો હતો? આજની યુવા પેઢીને જો આવા પ્રશ્નો પૂછવામાં આવે તો લગભગ એક સમાન જ ઉત્તર મળે કે " ના! " આજથી પચાસ કે સાહેઠ વર્ષ જૂની પેઢીના લોકો માટે આ સાધન કે આ શબ્દ નવો નહીં પણ પોતીકો શબ્દ હતો અને વ્હાલપ ભર્યું સાધન હતું!
ડામચીયો એટલે ઘરના સભ્યો માટે સુવા હેતુથી ઓઢવા અને પાથરવાના સાધનો એટલે કે ગોદડાં, ગાદલા તથા ઓશિકાઓ મુકવા-રાખવાનું લાકડાનું બનાવેલું એક ખાસ સાધન. આ સાધનનું નામ ડામચીયો કેમ પડ્યું હશે તે એક સંશોધનનો વિષય છે. આ સાધન ઉપર રોજે રોજની જરૂરિયાતના ગોદડાઓનો થપ્પો કરી દેવામાં આવતો. રોજ રાત્રે ખાટલા પથારીએ પાથરવાના અને ઓઢવાના ગોદડાં તેમજ ઓશીકા લેવામાં આવે અને સવારે પાછા તે ઊંચી હારમાં એટલે કે થપ્પી કરી ગોઠવી દેવામાં આવતાં. આ થપ્પો પાછો " કોઈ જુએ તો કેવું લાગે? " એમ માની તેના પર એક ખાસ બનાવેલો ચંદરવો અથવા ઓછાડ રાખી દેવાતો જેથી આવનાર સ્થાનિક કે બહારગામના કોઈ મહેમાનોની સીધી નજરે આ ગોદડાં ન ચડે! જુના કે નવા કપડાઓ કે વધેલી કટકીઓમાંથી આવો ચંદરવો બનાવવામાં આવતો હતો.
ડામચીયો મૂળ ત્રણ થી ચાર પ્રકારનો બનતો હતો. જે કોઈ વિશિષ્ટ પ્રકારો નહોતા પણ સુવિધાઓ અને બનાવટ આધારિત પ્રકારો હતા.
(૧) ઓછી ઊંચાઈનો માત્ર ચાર પાયાવાળો સાદો : આ પ્રકારનો ડામચીયો સામાન્ય રીતે બેથી અઢી ફૂટની ઊંચાઈનો બનતો. આ ડામચીયો ચાર ઉભા સીધા સાલવેલ પાયા કે ત્રાંસા પાયાવાળો હતો. ઉપર ચાર લાકડાનું ચોકઠું બેસાડેલું હોય. જેમાં બે, અઢી કે ત્રણ ફૂટની પહોળાઈ અને ચાર થી સાડા ચાર ફૂટ લંબાઈ રહેતી હતી. ઉપરનું ચોકઠું હોય તેમાં આડા કે ઉભા લાકડાના જ પટ્ટા મૂકી દેવાતા હતા જેના પર આ થપ્પાનો વજન આવે. ચોકઠાની લંબાઈ પહોળાઈ માટે આદર્શ માપ તો ચાર વળ વાળેલું ગોદડું સરળતાથી રહી શકે તેવું રહેતું હતું. આ ડામચીયાનું સ્વરૂપ જુના લાકડાના પાણીયાર જેવું હતું.
(૨) વધુ ઊંચાઈનો અને નીચે ખાના વાળો : આ ડામચીયો ત્રણ ફૂટ કે થોડી વધુ ઊંચાઈનો બનતો અને લંબાઈ તથા પહોળાઈ ઉપરના સાદા ડામચીયા જેવી હોય પણ નીચે આડા ઘાટે લંબાઈ જેટલી એકાદ ફૂટની પહોળાઈ જેવા ખાના બનાવવામાં આવે. આ ખાનાઓમાં ગરમ કપડાઓ કે ધાબળા-શાલ-ઓછાડ-રજાઈ-તકિયા વિગેરે રાખવામાં આવતા હતા. આ ખાના પણ એક જ હોય અથવા જુદા જુદા દરવાજા વાળા પણ હોય. આ ડામચીયામાં નીચે અડધા ફૂટના સીધા જ ચાર પાયાઓ રહેતા. આ પ્રકારના ડામચીયા પર પણ ઉપર ગોદડાનો થપ્પો લાગતો હતો.
(૩) નીચે કબાટ જેવી વિશેષ સુવિધા વાળો : આ પ્રકારનો ડામચીયો બીજા પ્રકાર જેવો જ હોય પણ નીચે એકથી વધુ હરોળમાં ખાનાઓ હોવાથી તેમાં રોજબરોજના પહેરવાના કપડાઓ પણ રાખી શકતા હતા. આ ડામચીયાની ઊંચાઈ વધુ રહેતી હતી. આ ડામચીયો મજુશ તરીકે એટલે કે પટારા તરીકે પણ કામ આવતો હતો. આ ડામચીયા ઉપર પણ ગોદડાની થપ્પી લાગતી હતી.
આમ તો જેના ઉપર પણ ગોદડાનો થપ્પો લાગતો હોય તેને પણ લોકો ડામચીયા તરીકે જ ઓળખતા હતા. આર્થિક સંપન્ન પરિવારોમાં ત્યારે " પટારા " મહત્વના હતા એટલે તેના ઉપર પણ આવો ગોદડાનો થપ્પો રહેતો હતો. જે ઉપરનો ભાગ ડામચીયા તરીકે વપરાતો હતો. નીચે કિંમતી વસ્તુઓ-જણસો કે કિંમતી કપડાઓ રાખવામાં આવતા હતા. પટારા અને ડામચીયા વચ્ચે મૂળભૂત તફાવત તેના ઉપયોગ, બનાવટ, મૂલ્ય અને સાચવણી બાબતે રહે છે. ડામચીયો જો ખાના વાળો હોય તો તે ખાનાઓ આડા હોય અને બહાર ખુલે જ્યારે પટારાનું ઢાંકણ એક જ હોય અને તે ઉપરની તરફ જ ખુલે. પટારામાં અંદર કિંમતી વસ્તુઓ સચવાતી હોય જ્યારે ડામચીયો માત્ર ગોદડાનો જ હોય. ડામચીયો બનાવટમાં પટારા જેટલો મજબૂત ન હોય અને કિંમતમાં પણ સસ્તો હોય. પટારો દીકરીને કરિયાવરમાં આપવામાં આવતો પણ ડામચીયો નહીં!
ડામચીયા પર ગોદડાની થપ્પી લગાવવાની પણ એક ખાસ પદ્ધતિ હતી. નવા ગોદડાં કે જે ખાસ મહેમાનો આવે ત્યારે જ પાથરવાના હોય તે સહુથી નીચે રાખવામાં આવે અને તેને જુદા જ કપડાથી ઢાંકી દેવાતા કે જેથી ધૂળ ચડે નહીં. રોજે રોજના વાપરવાના ગોદડાં ઉપર ઉપર ગોઠવાય જેથી રોજેરોજ લઈ-મૂકી શકાય. આ ગોદડાઓ પણ જ્યારે ડામચીયે ગોઠવાય ત્યારે ચોવડ ગોદડાનો બંધ ભાગ અને છેડાનો ખુલ્લો ભાગ ચાર-પાંચ થપ્પે આગળ પાછળ ફેરવવો પડે જેથી એક જ બાજુએ ઢોળાવ ન આવે! જેમ ફાઈલો આગળ પાછળ ગોઠવાતી હોય તેમ! વચ્ચે એક થર આખો ઓશિકાનો લાગે! એક થર ગાદલાનો હોય જેથી ડામચીયો એક સરખી ઊંચાઈનો લાગે મતલબ કે યોગ્ય સ્થિરતા ( Balance ) જાળવી શકાય! ગોદડાં લેતા કે મુકતા આખો ડામચીયો નીચે ન પડે તેનું રાખવાનું હોય છે.
ડામચીયો ઘરના એક ખૂણે ગોઠવવામાં આવતો હતો. વર્ષે બે ચાર વાર આખો ડામચીયો ખાલી કરવામાં આવે અને બધા ગોદડાં તડકે સુકવવા નાંખતા હતા. આ સમયે તેને પણ તપવવા બહાર કાઢવામાં આવતો. આ ગોદડાની થપ્પીઓ વચ્ચે ક્યારેક પૈસા રૂપિયા પણ રાખવામાં આવતા હતા. જ્યારે મહેમાનો હોય ત્યારે તેમના માટે નવા ગોદડાં કાઢવા પણ આખો ડામચીયો નીચે ઉતારાય અને જોઈતા ગોદડાં કાઢી પછી થપ્પી લગાવી દેવામાં આવતી હતી. આ થપ્પીઓ વચ્ચે પણ ડામરની ગોળીઓ મૂકી દેવાતી જેથી ઉંદર ગોદડાં ફાડે નહીં અને જીવાત ચડે નહીં.
આજે ડામચીયો જોવા મળતો નથી. તેની અપ્રસ્તુતા માટે બીજી સુવિધાઓ જવાબદાર છે. જેમકે ડામચીયા પછી ગોદડાં સાચવવા ખાસ લાકડાના અને લોખંડના કબાટ બનવા લાગ્યા હતા જેમાં વધુ સાચવણી થતી હતી. ત્યાર બાદ ઘરમાં સેટી-સોફા જેવા ફર્નિચર બનતા તેમાં જ નીચે ખાસ ખાનાઓ રાખી આવી ચીજો તેમાં મુકવામાં આવતી હતી. શહેરીકરણ વધતા કુટુંબ પરિવાર પણ વિભક્ત થતા અને મોટી સંખ્યામાં ગોદડાં બનાવવા-સાચવવાની જરૂરિયાત પણ ઘટી. શહેરોમાં સામાજિક પ્રસંગોમાં ઓઢવા પાથરવાની વસ્તુઓ ભાડે મળવાનું શરૂ થતાં આવી જરૂરિયાતો પણ ઘટી ગઈ છે. ગોદડાની અવેજીમાં ઓઢવાના સુગમ - સરળ - સસ્તા અને આકર્ષક સાધનોની ઉપલબ્ધીએ ગોદડાં બનાવવાનું જ બંધ થયું અને એટલે આવા ડામચીયાની જરૂરત પણ રહેતી નથી.
એક સમયે ગોદડાં બનાવવાની પણ એક ખાસ આવડત હતી જે અત્યારની આદ્યુનિક સ્ત્રીઓમાં ભુલાવા લાગી છે. ગોદડાં ખુદ એક જણસ હતા જે હવે ગાભા સમાન બની ગયા છે.
ડામચીયો જેમ સાધન તરીકે ઉપયોગમાં નથી તેમ આ શબ્દ પણ જાણે કે લોકબોલીમાંથી ભૂંસાતો જતો હોય તેવું લાગે છે. એક રૂઢિપ્રયોગ હતો કે "ડામચીયામાં મોઢું જોયું છે? " બીજો એક વાક્યપ્રયોગ થતો કોઈ બાળક જો ખૂબ હરખાતું હોય તો તેને કહેતા કે " ડામચીયે દીવો કર " કોઈ આખો કબાટ સાફ કરવા કપડાનો ઢગલો કરે તો પણ કહેતા કે " આખો ડામચીયો ક્યાં હેઠ ઉતાર્યો " હવે આવા ડામચીયાની જ ખબર ન હોય તે પેઢીને આવા રૂઢીપ્રયોગોની ખબર જ ન પડે એટલે આ શબ્દ પણ જાણે બોલીમાંથી નીકળી ગયો હોય એવું લાગે છે. ક્યાંક કોઈ ઘરે હજુ સાચવેલો હોય તો તે સારી બાબત ગણાશે!

સાભારઃ © ડૉ. રમણિક જે યાદવ 📙

કાઠી_સંસ્કૃતિદીપ_સંસ્થાન

The_Kathi_Crafts
05/09/2022

The_Kathi_Crafts

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when The Kathi Crafts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share